ઈ.શ. ૧૯૪૭ ની ૧૫મી ઓગસ્ટ નો દિવસ ભારત ના ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે એક મોટો લોકશાહી દેશ તરીકે આપણો દેશ સ્વતંત્ર થયેલ. આ દિવસ નો ઇતિહાસ ખુબજ મહત્વ નો છે કારણ કે તે આપણને ભારતીય સ્વાતંત્રય સેનાની ના દરેક સંઘર્ષ વિશે જણાવે છે.
તા. ૧૩/૦૮/૨૦૨૧ ના રોજ , મેઘમણી હેડ ઓફિસ, પ્રહલાદનગર ખાતે મેઘમણી દ્વારા ૭૫ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણીના ભાગ રૂપે શણગાર સ્પર્ધા રાખવામાં આવેલ હતી. આ ઉજવણી ના દિવસે, મેઘમણી ઓર્ગનિકસ લિ. ના સી.એમ.ડી. શ્રી જયંતીભાઈ પટેલ, એમ.ડી. શ્રી આશિષભાઇ સોપારકર, એમ.ડી. શ્રી નટુભાઈ પટેલ, ડાયરેક્ટર શ્રી રમેશભાઈ પટેલ અને ડાયરેક્ટર શ્રી આનંદભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓ માં આનંદ ઉસ્તાહ વધારેલ હતો.
સ્વતંત્રતા દિવસને લોકોનો ઉત્સવ બનાવવા શણગાર સ્પર્ધા હાથ ધરેલ. આ શણગાર સ્પર્ધા માં ૦૫ ગ્રુપ બનાવેલ હતા . દરેક ગ્રુપ ના કર્મચારીએ આનંદ ઉસ્તાહ થી આ શણગાર સ્પર્ધા માં ભાગ લિધેલ અને આખા મેઘમણી ઓફિસ ને શણગાર દીધેલ હતી. આ શણગાર સ્પર્ધા માં પહેલા અને બીજા નંબર માટે ઇનામ રાખવામાં આવેલ હતા. આ ઇનામ ડાયરેક્ટર શ્રીઓ દ્વારા સુપ્રત કરવામાં આવેલ હતા.
આ ઉજવણી માં ડાયરેક્ટર શ્રીઓ દ્વારા સંદેશ આપવમાં આવેલ હતો કે સ્વતંત્રતા દિવસ દેશ માટે બલિદાન આપનાર સૈનિકોને યાદ કરવાનું પર્વ પણ છે. દેશપ્રેમની ભાવના સાથે જોડાયેલા આ ઉત્સવમાં લોકોએ સહભાગી થઈને જનોત્સવ બનાવવાની જરૂર છે. તે લાંબા ગાળે દેશની સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપશે અને મોટા પાયે જનતાની ભાગીદારી સુનિશ્ચિત કરશે.
(રમેશભાઈ પટેલ)
ડાયરેક્ટર – મેઘમણી ઓર્ગેનિક્સ લિ. —