~ શરૂઆતના વર્ષ માટે ફ્લિપકાર્ટ મુખ્ય ભાગીદાર તરીકે જોડાયું
~ આ કન્સોર્ટિયમ રિટેલ બ્રાન્ડ્સ, ટેક્નોલોજી ભાગીદારો અને શૈક્ષણિક વિદ્વાનોંને જોડતા વ્યૂહાત્મક પુલ તરીકે કામ કરશે અને આ વિષયોમાં અદ્યતન ગ્રાહક સંશોધન અનેનવપ્રવર્તનોને આગળ વધારશે.
અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થાભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદ (આઈઆઈએમએ)ખાતે ડિજિટલ રૂપાંતરણ કેંદ્રએ તાજેતરમાં રિટેલ ટેક કન્સોર્ટિયમની સ્થાપના કરી છે અને ભારતમાં અનેક રિટેલ અને ટેક્નોલોજી સંસ્થાઓ સાથે સહયોગ કરવાની યોજના ધરાવે છે. આ કન્સોર્ટિયમ દેશના રિટેલ ટેક અગ્રણીઓ વચ્ચે વધુ સારા સહયોગ માટે ઊંડા જ્ઞાન, સંશોધન અને ઉદ્યોગની શ્રેષ્ઠ પદ્ધતિઓને રજૂ કરવા માટે કામ કરશે. ભારત સ્થિત ઈ-કોમર્સ માર્કેટપ્લેસફ્લિપકાર્ટ આ કન્સોર્ટિયમના પ્રારંભિક વર્ષ માટે મુખ્ય ભાગીદાર તરીકે જોડાયું છે, જે આ પ્રયાસમાં યોગદાન આપવા માટે ઈન્ટરનેટ ઈકોસિસ્ટમમાં તેના ઉદ્યોગ જ્ઞાન અને અનુભવ અને ગ્રાહક આંતરદૃષ્ટિને ઉપયોગમાં લાવશે.
કોરોના મહામારીના છેલ્લાં બે વર્ષમાં, છૂટક વ્યાપાર ક્ષેત્રએ મોટા પાયે અનુકૂલન કર્યું છે. રિટેલનું ડિજિટલાઇઝેશન ઝડપી ગતિએ થયું છે અને તેનાથી ઓનલાઈન અને પરંપરાગત રિટેલર્સ બંનેને અસર થઈ છે. આ કન્સોર્ટિયમ મોટાભાગે દેશમાં રિટેલના ડિજીટલાઇઝેશન પર ગ્રાહકોના નિરપેક્ષ અવાજને આગળ લાવશે જે રિટેલર્સને તેમના ગ્રાહકોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.
કન્સોર્ટિયમની સ્થાપનાની જરૂરિયાત વિશે બોલતા, આઈઆઈએમએખાતે ડિજિટલ રૂપાંતરણ કેંદ્રના અધ્યક્ષ, પ્રોફેસર પંકજ સેતિયાએ જણાવ્યું હતું કે, “આ સહયોગ દ્વારા, અમે રિટેલ ક્ષેત્ર જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેના પર અદ્યતન સંશોધન શરૂ કરવાનું, આંતરદૃષ્ટિ એકત્રિત કરવાનું અને સમગ્ર ઉદ્યોગમાં રિટેલર્સને વર્તમાન માંગ સાથે ગતિ જાળવી રાખવામાં મદદ કરવા માટે જ્ઞાન પહોંચાડવાની સુવિધા આપવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમે આને તાત્કાલિક જરૂરિયાત તરીકે ઓળખીએ છીએ કારણ કે રિટેલરોએ ગ્રાહકોની સતત બદલાતી પસંદગીઓ અને નવી તકનીકી નવપ્રવર્તનોના આગમન પર ઝડપથી પ્રતિક્રિયા આપવાની જરૂર છે. ઈન્વેન્ટરીનું સંચાલન, શ્રમિકોની અછત, સપ્લાય ચેઈન લોજિસ્ટિક્સ અને ટકાઉ પ્રેક્ટિસનું પાલન એ કેટલાક અન્ય પડકારો છે જેનો મોટા ભાગના ઓનલાઈન વિક્રેતાઓ સામનો કરી રહ્યા છે. ડિજિટલ રૂપાંતરણ કેંદ્ર સંશોધન દ્વારા એકત્ર કરાયેલી આંતરદૃષ્ટિનું નિર્માણ કરશે અને તેને સૌની વચ્ચે રજૂ કરશે જે સમગ્ર ભાગીદારો દ્વારા ઉકેલોના વિકાસને સક્ષમ કરી શકે છે.”
આ કન્સોર્ટિયમ જે કેટલીક પ્રવૃત્તિઓ હાથ ધરશે તેમાં દેશવ્યાપી ઉપભોક્તા સર્વેક્ષણો, કેસ સ્ટડીનો વિકાસ, ક્ષેત્રના પ્રયોગો અને સંશોધન અભ્યાસો, રિટેલ ટેક વેબિનાર, સમ્મેલનો અને બીજી ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. આ હસ્તક્ષેપ વિચારોના સ્વસ્થ ક્રોસ-પોલિનેશન અને કંપનીઓ અને ઉદ્યોગો વચ્ચે જ્ઞાન પ્રદાન કરવાની મંજૂરી આપશે એટલું જ નહીં, પરંતુ આ સાથે ગ્રાહકોની આદતો,ઉપયોગ, ઉત્પ્રેરકો અને અવરોધોના સંદર્ભમાં શીખવા માટે સક્ષમ કરવા માટે ઓપન ડેટા સ્ત્રોતો બનાવવામાં પણ મદદ કરશે.
આ સહયોગથી સેક્ટરને કેવી રીતે લાભ મળશે તેના પર પોતાના વિચારો જણાવતા ફ્લિપકાર્ટના ચીફ પ્રોડક્ટ અને ટેક્નોલોજી ઓફિસર, જ્યન્દ્રન વેણુગોપાલે જણાવ્યું હતું કે, “ભારતમાં આધુનિક રિટેલ ઇકોસિસ્ટમ છેલ્લાં ઘણાં વર્ષોમાં ઝડપી ડિજિટલ અંગીકરણથી અભૂતપૂર્વ ઝડપે વેગીલી બની છે. ઝડપી બદલાતી ગ્રાહક પસંદગીઓ અને જરૂરિયાતો સાથે, બ્રાન્ડ્સ માટે આ ગતિશીલ બજારમાં વિકાસ કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે ટેકનોલોજીની શક્તિનો લાભ ઉઠાવવો. આઈઆઈએમએ સાથેના અમારા સહયોગ અને ગ્રાહક સર્વેક્ષણમાંથી મળેલી આંતરદૃષ્ટિ દ્વારા, અમે તકોને ઓળખવા અને જ્ઞાનની વહેંચણી, સંશોધન અને તાલીમ માટે ફોરમ બનાવવાનો ઈરાદો ધરાવીએ છીએ જે કિરાણા દુકાનો, રિટેલર્સ અને ગ્રાહકો માટે વધુ મૂલ્યવાન બનવા માટે રિટેલ ઈકોસિસ્ટમને પરિવર્તિત કરવામાં મદદ કરશે.”
આઈઆઈએમએખાતે ડિજિટલ રૂપાંતરણ કેંદ્રનું ઉદ્ઘાટન ગયા વર્ષે કરવામાં આવ્યું હતું અને તે એવી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ડિજિટલ ઇકોસિસ્ટમની સમજણમાં વધારો કરે અને નેતૃત્વને ઉત્પ્રેરિત કરે, કારણ કે તે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે વિચારશીલ નેતૃત્વ પ્રદાન કરવા માટે સંશોધન અને વિકાસમાં તેની કુશળતાનો લાભ લે છે.